અંતરજાળના યુવાનને ઉપાડી તેના પર 3 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો.

ગાંધીધામ ,તા .૧૨ : તાલુકાનાં અંતરજાળ ગામના શાંતિનગરમાં રહેતા એક યુવાનનું અપહરણ કરી તેને જલારામનગર સોસાયટીમાં લઈ જઇ તેના ઉપર સાતેક જણાએ તલવાર ,બેઝ બોલના ધોકા વડે હુમલો કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ શાંતિનગરમાં રહેનારો મેરૂભા ઉદ્દેસિંહ વાઘેલા નામનો યુવાન આદિપુરના પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે દેવલ પટેલ અને અન્ય ૩ શખ્સોએ તેને રોકાવ્યો હતો અને તેના ઉપર તલવાર વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. પછી આ શખ્સોએ યુવાનને અલ્ટોકારમાં બળજબરીપૂર્વક બેસાડી તેને જલારામ સોસાયટીમાં લઈ ગયા હતા. આ જગ્યાએ દેવળ પટેલ તથા અન્ય ૬ અજાણ્યા શખ્સોએ તેના ઉપર બેઝ બોલના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં તેને ફેકચર સહિતની ઇજાઓ પહોચી હતી. ઘાયલ થયેલ યુવાનને સારવાર માટે દાખલ કરાયો હતો. ગઇકાલે મેરૂભા વાધેલા વિરુદ્ધ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોધાયા બાદ મારામારી , અપહરણનો આ બનાવ બનતા ભારે ચકચાર પ્રસરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *