તંત્રએ 9919 બોગસ BPL રેશનકાર્ડ રદ કર્યા પણ કૌભાંડીઓ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી ના કરાઈ.
ભુજમાં સસ્તા અનાજની 40 દુકાનોના ફુલ્લ 13707 BPL કાર્ડધારકો સરકારી ચોપડે નોંધાયેલા હતા. જોકે આદમ ચાકીએ ધનવાનોના નામે પણ બોગસ BPL કાર્ડ બની ગયા હોવાનો ઘટસ્ફોટ કરી તપાસ કરવા કલેક્ટર અને પુરવઠા નિગમના સચિવને લેખિત રજુઆત કરી હતી. જેના પગલે તંત્રએ તાપસ કરી 9919 બોગસ BPL કાર્ડ રદ કર્યા હતા. આ કૌભાંડમાં આચરનાર સસ્તા અનાજના દુકાનદારો અને જિલ્લા પૂરવઠા અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઇ તેમને બચાવી લેવાયા હોવાનું ચાકીએ જણાવ્યું હતું. આ કૌભાંડ ભૂકંપના સમયથી એટલેકે બે દાયકાથી ચાલ્યું હોવાનું જણાવી ચાકીએ દાવો કર્યો છે કે 2015 પછી આ કૌભાંડ ખૂબ વધી ગયું છે. બોગસ રાસનકાર્ડના આધારે વિતરિત કરાયેલા અનાજના જથ્થા ની કિંમતનો અંદાજ પાંચસો કરોડનો કૌભાંડ થયો હોવાનું ચાકીએ ઉમેર્યું હતું. આટલા મોટા કૌભાંડમાં તંત્રએ માત્ર બોગસ કાર્ડ રદ કર્યા છે પરંતુ કૌભાંડીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરી હોવાનો આક્ષેપ કર્યો છે. ખરેખર તો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ જવાબદારો સામે ફોજદારી ફરિયાદની જોગવાઈ છે કૌભાંડમાં ભાજપના નેતાઓની મિલીભગત હોવાની ચર્ચા ચાલતા હોવાનો ઉલ્લેખ કરી ચાકીએ જો 15 દિવસમાં જવાબદારો સામે ફોજદારી ફરિયાદ ના થાય તો ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવાની ધમકી ઉચ્ચારી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.