નખત્રાણાના દેવકી નગર રોડ પાસે ભરાતા પાણી ના ખાબોચિયા થી પરેશાની: ઝેરી મચ્છરો ના ઉપદ્રવ થી રોગચાળા ની દહેશત…પંચાયત દ્વારા યોગ્ય નિકાલ કરવા કરાઈ માંગ….

નખત્રાણાના દેવકી નગર રોડ પાસે કાયમ ભરાતા પાણીથી દુકાનદારો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવા ની ફરિયાદો ઉઠવા પામી છે પંચવટી હનુમાન તરફ થી આવતા પાણીની કાયમ સમસ્યા રહે છે આ રોડ બનાવતી વખતે પણ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું છતાં પણ ધ્યાન ન અપાતા ખાડા ના કારણે પાણી નો ભરાવો થાય છે જે પાણી દિવસો સુધી ભરાતું હોવા થી ઝેરી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને લોકો રોગચાળા માં સપડાસે તો જવાબદારી કોની? વહેલી તકે જવાબદારો આ ગંદા પાણી નો નિકાલ કરાવે એવી માગ પ્રિન્સી બેન સોની દ્વારા જણાવાયુ હતુ.