નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા અંગે કરવામાં આવેલ પહેલ..

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષશ્રી સૌરભ સિંહ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબનાઓએ જિલ્લામાં વધતા જતા અકસ્માતના બનાવો અટકાવવા માટે આપેલ સુચના અનુસાર નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પો.સ્ટે.ના ટ્રાફીક ઈન્ચાર્જ પો.હેડ કોન્સ. હરદેવસિંહ પી.ગોહિલ તથા ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના માણસો તેમજ હોમગાર્ડ, ટી.આર.બી.ના માણસો દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારમાં જઈને લોકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કરવામાં આવેલ જેમાં વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ નહી કરવો તેમજ હેલ્મેટ પહેરવા તથા ઓવર સ્પીડમાં વાહન નહી ચલાવવા તેમજ ટ્રાફિક અંગેના નિયમોની જાણકારી આપવામાં આવેલ તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જાહેર જગ્યાઓ ઉપર ટ્રાફિકના નિયમનના બેનર્સ તેમજ માર્ગ સુરક્ષા અંગેની જાણકારી વાળા બેનર્સ લગાડીને જિલ્લામાં વધતા જતા અકસ્માતના બનાવો અટકે તે સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ..