ગુજરાત સરકાર ના નિયમ પ્રમાણે ૮૦ % સ્થાનિક માણસોને રોજગારીના મળતા ધારણા પર ઉતરવા બાબત ધારણા યોજવામાં આવ્યા

જી.એમ.ડી.સી.સંચાલિત ઉમરસર ખાણ પરિસર માં કોન્ટ્રાક્ટર મોન્ટેકાર્લો તથા તેના કોન્ટ્રાક્ટર ભાદેવાજ ઇન્ફ્રાસ્ટક્ચર પ્રા.લી ( બી.આઈ.પી.એલ ) માં ૫૫૦ જેટલા વર્કરો કામ કરે છે જે વર્કરો મોટા ભાગના પરપ્રાંતીઓ છે ગુજરાત બહાર ના છે અને ગુજરાત સરકાર ના નિયમ પ્રમાણે ૮૦ % સ્થાનિક માણસો ને રોજગારીની તક મળવી જોઈએ જે જી.એમ.ડી.સી.સંચાલિત ઉમરસર ખાણ પરિસર માં કોટ્રાકટર મોન્ટેકાર્લો તથા તેના પેટ કોન્ટ્રાક્ટર ભાર્દવાજ ઇન્ફ્રાસ્ટાર પ્રા.લી ( બી.આઈ.પી.એલ ) કંપનીઓ દ્વારા ગુજરાત સરકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે
જે બાબતે અનેક વાર લેખિત તથા મૌખિક રજૂઆત કરતા પણ દાદ ( જવાબ ) મળતો નથી . ઉમરસર ગ્રામ પંચાયત વિસ્તાર અને અન્ય વિસ્તાર માં અછત ની પરિસ્થિતિ છે રોજગારી નો કોઈ વિકલ્પ નથી . અને જે નોકરીના લાયક છે એવા શિક્ષિત યોગ્ય ઉમેદવારોને પણ નોકરી આપવામાં આવતી નથી . સ્થાનિક માણસોને રોજગારી નું કોઇ નિરાકરણ ન આવતા શ્રી પુનરાજપર જૂથ ગ્રામ પંચાયત ના ૩ ગામ ના ગ્રામજનો ને લઇ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના ધરણા પર બેસવામાં આવ્યા હતા.