ભુજના શહેરીજનોને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા કેન્દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી કૈલાશ ચૌધરીની હાકલ


ભુજ નગરપાલિકા આયોજીત સ્વચ્છતા અભિયાનમાં કૃષિ રાજ્યમંત્રી સહભાગી બન્યા
આજરોજ ભુજ ખાતે ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજયમંત્રી શ્રી કૈલાશ ચૌધરી ઉપસ્થિત રહીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. ભુજના હમીરસર તળાવ કાંઠે ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. શહેરીજનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રીએ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સાથે ખુદ પણ સફાઇ કામગીરી કરીને પ્રેરણા પૂરી પાડી હતી. શહેરીજનોને સ્વચ્છ ભારત અભિયાનના સૂત્રને સાર્થક કરવા આહવાન કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદ અને વીર સાવરકરની મૂર્તિને ફૂલહાર કર્યા હતા. વધુમાં તેમણે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈને ભગવાનના આશીર્વાદ મેળવ્યાં હતા.
આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરી, નગરસેવક સર્વશ્રી હિનાબા ઝાલા, સાવિત્રીબેન જાટ, કમલભાઈ ગઢવી, અગ્રણી સર્વશ્રી નંદાજી ઠાકોર, રાહુલભાઈ ગોર, પ્રફુલસિંહ જાડેજા, બાલકૃષ્ણ મોતા, ભાવેશભાઈ શાહ, હિતેન્દ્રસિંહ ઝાલા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટરશ્રી અતિરાગ ચાપલોત, ભુજ નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી જીગરભાઈ પટેલ, મામલતદારશ્રી એન.આઇ બ્રહ્મભટ્ટ, તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર ભીલ

