નારણપરમાં ત્રણ સગીરાનું અપહરણ કરનારા શખ્સોને જાહેરમાં માર માર્યો.

નારણપર ગામથી ભુજ માંડવી હાઇવે મેઘપર રોડ ડામર પ્લાન્ટ નજીક બન્યો હતો. ગામની ત્રણ સગીર કન્યાઓને ગામનાં જ ત્રણ યુવકો સોમવારે અઢી વાગ્યાના અરસામાં જંગલ તરફ લઈ ગયા હોવાનું સગીરાના વાલીઓને જાણ થતાં તાત્કાલિક ત્યાં પેહોંચી જઇ સગીરાના વાલીઓએ બે યુવકોને પકડીને માર માર્યો હતો. જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. નારણપરમાં રહેતા જીતેન્દ્ર માલશી ફફલ (ઉ.વ.૨૨), અલ્તાફ ફકીરમામદ પલેજા (ઉ.વ.૨૪) અને અકબર ઇભલા જત નામના ત્રણ યુવકો વિરુદ્ધ સગીરાઓના વાલીઓએ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માનકુવા પોલીસે ત્રણેય યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી અલ્તાફ તથા જીતેન્દ્રની મંગળવારે સાંજે ધરપકડ કરી હતી.

જ્યારે સગીરાના વાલીઓએ યુવકને રસ્સી થી બાંધીને માર માર્યો હતો તે મામલે મોડી સાંજે અલ્તાફ ફકીરમામદ પલેજાએ પોતાને માર મારી જાનથી મારી નાખવા સહિતની ફરિયાદ સગીરાઓના વાલી સામે નોંધાવી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો આ કેસમાં ત્રીજો શખ્સ અકબર હજુ પોલોસ પકડથી દૂર છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *