કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુખપર નખત્રાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.




મળતી માહિતી અનુસાર ભુજ તાલુકાના સુખપર માનકુવા હાઈવે પર આવેલ વૃંદાવન હોટલ અને નાયરા પેટ્રોલ પંપની વચ્ચે કાલ રાત્રિના સમયે અકસ્માત બનવા પામ્યો હતો આ અકસ્માતમાં બે બાઈક એક કાર તેમજ ટ્રક નો સમાવેશ થાય છે. જેમાં બાઇક ચાલક વસંતભાઈ અમૃતભાઈ જોશી ઉં.વ. 43 રહે જુનાવાસ માનકુવાનું અવસાન થયું હતું તેમજ અન્ય ચાલકને ભુજ જી.કે જનરલ તથા ક્રેટા ગાડીના ચાલકને લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
માનકુવા થી ભુજ તરફ આવતી ક્રેટા અને ભુજ થી માનકુવા જતા બાઇક સવાર અને ટ્રકનો અકસ્માતમાં બાઇકના પરખચા નીકળીગયા હતા તેમજ વાહનોના બારીક અવશેષો રોડ પર પથરાય હતા. અકસ્માતના કારણે બન્ને બાજુ ની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી તેમજ અંદાજિત બે કિલોમીટર સુધી વાહનોની લાઈન નજરે પડી હતી.
ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


