છારોડી પાસે નંબર વગરના બેફામ જતાં ટ્રેક્ટરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતાં અકસ્માત..


વિરામગામના જાલમપુરા ગામના બે ઇસમો બાઇક પર સાણંદના દોદર ગામે તેઓના સબંધીના ઘરે ખબર પૂછવા જતાં હતા ત્યારે છારોડી પાસે નંબર વગરના બેફામ જતાં ટ્રેક્ટરના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિરામગામના જાલમપૂરા ગામના કાંતિભાઈ ગેલાભાઈ ભરવાડ અને બળદેવભાઈ મુમણભાઈ ભરવાડ બંન્ને જણા કાંતિભાઇના દીકરાનું બાઇક લઈને સાણંદ તાલુકાનાં દોદર ગામે રહેતા સબંધીના ત્યાં ખબરપૂછવા માટે જતાં હતા તે સમયે બાઇક બળદેવભાઈ ચલાવી રહ્યા હતા અને કાંતિભાઈ તેમની પાછળ બેઠા હતા. બાઇક લઈને છારોડી પાટિયા નજીક પહોચતા એક લાલ કલરનું નંબર વગરનું ટ્રેક્ટરના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને પાછળથી ટક્કર મારતા બંને જણા રોડ ઉપર પડી જતાં ઇજાઓ પહોચી હતી. જેમાં કાંતિભાઈને શરીરે ઇજાઓ થતાં કરૂણ મોત થયું હતું.
સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઈ બળદેવભાઈએ સાણંદ જીઆઈડીસી પોલીસમાં નંબર પ્લેટ વગરના ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ સાણંદ જીઆઈડીસીમાં પાણી ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા ચાલકનું મોત થયું હતું.