આયુર્વેદિક પીણાના નામે ચાલતા નશના કાળા કારોબારનો પર્દાફાશ..

જૂનાગઢ જિલ્લામાં આયુર્વેદિક પાણીના નામે ગેરકાયદેસર નશાયુક્ત પીણું પાનની દુકાને અથવા હર્બલ શોપમાં વેચાઈ રહ્યાની પોલીસને માહિતી મળી હતી આ મામલે જુનાગઢ એસઓજી પોલીસે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના, ચોરવાડ અને વંથલીમાંથી અંદાજીત 1,200 બોટલો સીઝ કરી અને પીણું વેચનારની અટક કરી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાનની દુકાનોમાં આ પ્રકારના પીણા મળી રહ્યાના અહેવાલ છે મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાત્રે જૂનાગઢના પોશ વિસ્તાર જાંજરડા રોડ પર આવેલી કૈલાસ હર્બલ નામની દુકાનમાં એસઓજી પોલીસે તપાસ હાથ ધરી દુકાનના દ્રશ્યો જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કેમ કે બીયર બારની માફક ટેબલ ખુરશી પર નશો કરતા આઠ યુવાનો ઝડપાયા દુકાન માલિક દ્વારા તેમને નાસ્તાથી લઇ તમામ સુવિધાઓ આપવામાં આવતી હતી પોલીસે દુકાનમાં રહેલા ફ્રીઝની તપાસ કરતાં નશાયુક્ત ગેરકાયદેસર 300થી વધુ બોટલો મળી આવી હતી પોલીસે તમામ બોટલો સીઝ કરી દુકાનદાર તેમજ તેના મેનેજરની અટક કરી હતી.
