જૈન દેરાસરમાં ચાર ઈસમો દ્વારા ચોરી કરતાં ચકચાર મચી..

લાલ ટેકરી સામે આવેલ જૈન દેરાસર આશરે બે હજાર ચોરસ વારમાં આવેલ છે અને દેરાસરને ફરતે આઠ ફૂટની દિવાલ આવેલી દેરાસરની અંદર ત્રણ મંદિરો છે જેમાં સંભવનાથ જૈનાલય, દાદાસાહેબ જૈનાલય અને ઘંતાકર્ણ મહાવીર જૈનાલય તેમજ ત્રણે દેરાસરના મોટા લોકવાળા લાકડાના ગેટો બનાવેલા છે તેમજ ગેટ પછી જાળીયા આવેલ છે દેરાસરની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવેલ છે પુજારી ત્રણેય દેરાસરમાં મુખ્ય દ્વાર તથા જાળીયાને લોક કરી પોતાના રૂમમાં ગયેલ અને વહેલી સવારે દેરાસરમાં ચોરી થયાની જાણ થતા ત્યાંના પ્રમુખને જાણ કરી પ્રમુખ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી દેરાસરની દાનપેટી માંથી 5,000 ની ચોરી કોઇ ચાર ઇસમ દ્વારા કરવામાં આવેલ તેવું જાણવા મળી રહ્યું છે વધુ તપાસ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું.
