મેઘપર-બોરીચીમાં ઈલેક્ટ્રિક દુકાનમાંથી રૂપિયા 4.62 લાખના મત્તામાલની તસ્કરી

અંજાર તાલુકાના મેઘપર બોરીચીની ઇલેક્ટ્રિક દુકાનમાંથી રૂ.4.62 લાખના મોટર અને કેબલ વાયર ચોરી કરી જવામાં આવતા ફરિયાદ કરાઇ હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી આદિપુર ખાતે રહેતા અને મેઘપર-બોરેચીની અંબિકા સોસાયટીમાં અમરનાથ ઇલેક્ટ્રિકના નામે દુકાન ચલાવતા રમેશભાઈ બળવંતભાઈ ચૌધરીની ફરિયાદને મધ્યે રાખી મળતી માહિતી અનુસાર તેમની દુકાનમાં કોઈ અજાણ્યા ચોર સખ્શો દ્વારા દુકાનના પાછળના ભાગેથી પ્રવેશ કરી દુકાનના આજુ-બાજુ સાધનની ગોઠવણી કરી બાદમાં ફરી દુકાનમાં પ્રવેશ કરી રીપેરીંગમાં આવેલી રૂ. 78 હજારની 6 મોટરો, ભંગારના ભાવે લીધેલી રૂ.1.74 લાખની 11 મોટરો, ઉપરાંત રૂ. 2,10,000 મળી કુલ રુ. 4,62,973ની મત્તા ચોરી કરાઇ હતી. આ ઘટના બાબતે ફરિયાદી દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં  આવતા પોલીસે આ અંગેન વધુ તપાસ હાથ ધરી છે.