ભુજમાં બીમારીથી ત્રસ્ત પ્રૌઢે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું


ભુજના હરસિધ્ધિનગરમાં રહેતા 55 વર્ષીય વયે પોતાના ઘરમાં બીમારીથી કંટાડીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં પરિવારજનોમાં શોક છવઇ ગયો છે. એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર આ બનાવ રાત્રીથી સવાર દરમિયાન બન્યો છે.
હરસિધ્ધિનગરમાં રહેતા બનેસંગ મમુભા સોઢા પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પીએમ માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં પોલીસે આગળની કાર્યવાહી કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક નિવૃત જીવન જીવતા હતા. અને તેમણ બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.