પાનધ્રો-ઘડુલી માર્ગે કાળી નદીના વહેતા પાણીથી  વાહન ચાલકોને કરવો પડ્યો  હાલાકીનો સામનો

લખપત તાલુકાના પાનધ્રોથી ઘડુલી હાઇવે પર આવતી કાળી નદીમાં ચોમાસા દરમ્યાન વરસાદ બાદ પુર આવવાથી વાહન ચાલકોને આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય ચ્હે, જેથી અહીં પાપડીના બદલે મોટો પુલ બનાવવા માંગની ઉઠી. દર વર્ષે વરસાદ પડ્યા પછી પાનધ્રોથી ઘડુલી તરફનો માર્ગ કાળી નદીમાં વહેતા નીરના કારણે બંધ થઇ જાય છે. તાજેતરમાં તાલુકામાં ધોધમાર વરસાદ પડી ગયા પછી ઝાંપટા જારી રહ્યા છે અને કાળી નદીમાંથી હજુ પણ નીર વહી રહ્યા છે. વરસાદ સમયે આ માર્ગ બંધ થઇ જતાં લોકોને નાછૂટકે દયાપરથી વાયા સુભાષપર, પાનધ્રો, નારાયણ સરોવર જવું પડે. શ્રાવણ માસને લઇને ઘડુલી, પાનધ્રો, નારાયણ સરોવર, કોટેશ્વર જતા અનેક પ્રવાસીઓને કયારેક પાનધ્રોથી ઘડુલી માર્ગે પાછા આવવું પડે છે., કાળી નદીના વહેતા પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નદીની બંને બાજુ માટીના ઢગલા કરી દેવાયા, જે માટી વરસાદના કારણે પલળીને માર્ગ પર આવી ગઈ હોવાથી દ્વિચક્રી વાહનો સ્લીપ થાય છે.આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નદી પર પાપડી નહીં પરંતુ મોટો પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા થઈ રહી છે.