અંજારના વરસામેડીમાં પાટણના યુવકનું ગળું દબાવી હત્યા, ચોથે  દિવસે ભેદ ખુલ્યુ 

અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસે આવેલી અંબાજી રેસિડેન્સી ખાતે રહેતા અને શ્રમકાર્ય કરતા 23 વર્ષીય અજીતસિંહ મલિકની તેનાજ પરિચિત્ત આરોપીએ બેરહેમી પૂર્વક વાયર અને લૂંગી વડે ગળું દબાવી હત્યા કરી અને ત્યારબાદ યુવકને પાણીના ટાંકામાં ફેંકી મૃતકની એક્સેસ સ્કૂટર લઈ ફરાર થઈ ગયો હોવાની ઘટના અંજાર પોલીસ દફતરે નોંધાયેલ છે. આ હત્યાની ઘટના ગત તાં. 12 ના સવારથી તાં 16 ઓગષ્ટ સાંજના 6 વાગ્યા દરમ્યાન બની હતી. જેની જાણ ત્યારે થઈ હતી જ્યારે હતભાગીના ભાઈ તપાસ કરતા અહીં પહોંચી આવ્યા
આ અંગે અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી આરોપી જોડારામ ઉર્ફે આર્યન ભાગીગન ગોડે ગત તા. 12 થી તા. 16ના સાંજના 6 વાગ્યા દરમ્યાન કોઈ કારણોસર શ્રમકાર્ય સાથે જોડાયા મૂળ પાટણ જિલ્લાના શંખેશ્વર ગામના અજીતસિંહ મલિકની તાર અને લૂંગી વડે ગળું દબાઈ હત્યા કર્યા બાદ યુવકને પાણીના ટાંકામાં ફેંકી તેનુજ એક્સેસ સ્કૂટર લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ મૃતકના મોટા ભાઈ વેરુભા મોતુસિંહ મલિક(દરબાર)એ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.