અમદાવાદની હનુમાનવાળી પોળમાં મટકી ફોડ માતમમા ફેરવાયો


ભગવાનના જન્મની ઉજવણી કરવા લોકો ભેગા થયા અને ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદના દરિયાપુરની હનુમાનવાળી પોળમાં ભગવાનના જન્મોત્સવ દરમિયાન મટકી ફોડનો પ્રોગ્રામ માતમમાં ફેરવાઇ ગયો હતો. લોકો મટકી ફોડવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન ચબૂતરા સાથે બાંધેલો તાર ચબૂતરા સાથે તુટી જવાથી એક કિશોર નીચે પટકાયો હતો જેને ઘટનાસ્થળે જ મોત આંબી ગયો હતો. આ ઘટના અંગે દરિયાપુર પોલીસ દ્વારા હાલમાં અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરાઇ છે.
મળતી માહિતી અનુસાર દરિયાપુર વિસ્તારમાં આવેલી હનુમાન વાળી પોળમાં જન્માષ્ટમીનો તહેવાર શોકમાં ફેરવાઈ ગયો. આ વિસ્તારમાં રહેતો 15 વર્ષનો દેવ પઢીયાર મટકી ફોડમાં મટકી ફોડવાનો હતો. ચબૂતરા સાથે બાંધેલી દોરી પર મટકી રાખવામા આવી હતી. દેવ પઢીયાર મટકી ફોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે ચબૂતરા સાથે બાંધેલો તાર અચાનક તૂટી પડતાં નજીકની દિવાલ ઘસી પડી. જે ઘટનામાં દેવ દિવાલ નીચે દબાઈ ગયો તેને ગંભીર ઈજા પહોચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ સમગ્ર ઘટના અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI આર જે ચૌધરીએ જણાવ્યું હતું કે હનુમાનવાળી પોળમાં બનેલ બનાવમાં દિવાલ ઘસી પડી હતી. આ દિવાલ નીચે દબાઈ જતાં એક પંદર વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે. આ અંગે હાલ તપાસ કરાઈ રહી છે.