ખાવડાના ગોપેશ્વર મહાદેવ મંદિરે તસ્કરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા


પવિત્ર શ્રાવણ માસમાં ભુજ તાલુકાના ખાવડા ગામમાં આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરી થતાં ભક્તોની લાગણીને ઠેશ પહોચી છે. ખાવડા પોલીસમાંથી જાણવા મળતી માહિતી અનુસાર, જુના બસ સ્ટેશન પાસે રહેતા પૂજારી નીતિનપુરી જગદીશપુરી ગોસ્વામીએ પોલીસને જણાવ્યું કે, કોઈ અજાણ્યા સખ્ક્ષો દ્વારા પેટ્રોલપંપની સામે આવેલા ગોપેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની તસ્કરી કરી હતી.
મંદિરની બાજુમાં આવેલા રૂમમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર સિસ્ટમમાંથી કાઢી મંદિરની બહાર લગાવેલ કેમેરા ઉપરની બાજુ કરી ચોર મંદિરમાં પ્રવેશ્યા અને દાન પેટીનું પાછળનું લોક તોડી તેમાં રહેલી અંદાજિત રકમ 3000 થી 4000 ની રોકડ ચોરી ગયા હતા. આ ઘટનાથી શિવભક્તોની લાગણી દુભાઈ હતી.