સાડાઉ ગામે પરિવારના ભરણપોષણની ચિંતામાં પિતાનો આપઘાત

copy image

મુન્દ્રા તાલુકાથી માત્ર પાંચ કિમી દૂર આવેલા સાડાઉ ખાતે આર્થિક સંકડામણના કારણે આધેડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો પર આભ તૂટ્યુ હતું.પોલીસ સ્ટેસનમાં આ ઘટના જાહેર કરનાર હતભાગી મૃતકના પુત્ર મુકેશ લગવજી ડુંગરીયા (ઉ.વ.24 રહે સાડાઉ)ને નજરે રાખીને પ્રાપ્ત અહેવાલ અનુસાર ઉપરોક્ત ઘટના રાત્રે બાર વાગ્યા થી વહેલી સવારની વચ્ચે બની હતી.
ચાર દીકરી અને બે પુત્ર એમ મળી કુલ્લ છ સંતાનોના પિતા લઘવજી ફકીરાભાઈ ડુંગરીયા (ઉ.વ.45 રહે મતિયાદેવના મંદિર પાસે સાડાઉ)નામના આધેડ પરિવારના ભરણ પોષણ માટે સતત માનસિક ત્રાસ અનુભવતા હોવાથી તેમણે કંટાળીને તેમના રહેણાંક ની પાસે આવેલા ગાય બાંધવાના વાડામાં આડીમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાને પગલે તાત્કાલિક તેમને સ્થાનિક સીએચસીમાં સારવાર માટે લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં ફેલાયો હતો. ઘટનાને અનુલક્ષી મુન્દ્રા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી પીએસઆઇ ગિરીશ વાણિયાએ ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.