ભુજ તાલુકાની બે સગીરાનું તેના ઘરેથી અપહરણ કરાતા ચકચાર


ભુજ તેમજ તાલુકાના અન્ય ગામમાં સગીરાના અપહરણ કરવામાં આવતા ચકચાર. આ બાબતે ભુજ એ ડિવિઝન તેમજ ખાવડા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવી છે.
આ વિશે ભુજમાં રહતી સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સવારે પરિવારના લોકો મજૂરીએ ગયા હતા. આ દરમિયાન સગીરાના દાદા તથા ત્રણ પૌત્રીઓ ઘરે હતી. પરિવારજનો ઘરે પરત આવ્યાં ત્યારે સગીરાના દાદાએ સગીરાના પિતાને કહ્યુ કે, સગીરાની બે બહેનો દૂધ લેવા માટે બહાર ગઈ એટલામાં એક ઈસમ ઘરે આવ્યો હતો અને સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. જોકે, થોડીવારમાં સગીરાના પરિવારજનોએ ઇસમના ઘરે જઈને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, અમને જાણ કર્યા વગર સગીરાને લઈને ભાગી ગયો છે અમે પણ તેની શોધખોળ કરીએ છીએ. આમ શોધખોળ કરવા છતાં પણ કેનો કોઈ અત્તો પત્તો ન મળતા આરોપી સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજી બાજુ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના પિતાએ ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપ સગીરાને પરેશાન કરતો હતો. તેથી તેને ફળિયામાં આવવાની ના કહી હતી. જોકે, આ દરમિયાન રાત્રે પરિવારજનો ઘરે સુતા હતુ. ત્યારે રાત્રે આ ઈસમ સગીરાને લલચાવી ફોસલવાની અપહરણ કરીને ગયો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.