ડો. બાબા સાહેબ કન્વેશન સેન્ટરની પાછળ ગ્રીન બેલ્ટથી થઇ રહી છે ચોરી


ગાંધીધામ આદિપુર વચ્ચે કન્વેશન સેન્ટરના પાછળના ભાગે મોટાપાયે ચોરીને અંજામ અપાઈ રહ્યો છે. જેમાં રાજનૈતીક સાંઠગાંઠ થકી આ લાંબા સમયથી કરાઈ રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે આ અંગે યોગ્ય તપાસ હાથ ધરાય તો જાણીતા નામો ખુલે તેવી સંભાવના સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ગાંધીધામ થી આદિપુર જતા ટાગોર રોડ પર આવતા ડીપીએ એક્ઝીબીશન ગ્રાઉન્ડ અને તાજેતરમાં પ્રધાનમંત્રીના હસ્તે જેનું લોકાપર્ણ કરાયું તે ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટરની પાછળના અવાવરુ જગ્યામાં મોટા પાયે જમીન ખોદી નાખીને માટી, રેતીનો ઉપાડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સુત્રોનું કહેવુ છે કે આ ખોદકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું, જેમાં સ્થાનિક રાજકારણીઓની મીલીભગત હોવાની ચર્ચા છે. તો આ અંતરીયાળ અને અવાવરુ વિસ્તારમાં માત્ર માટી ચોરી નહી, પરંતુ અન્ય અસામાજિક પ્રવૃતિઓ માટે પણ આશ્રય સ્થાન બની રહ્યો છે ત્યારે તેનું યોગ્ય નિરીક્ષણ કરી ઉચીત પગલા ભરાય તેમ સંકુલના પ્રબુદ્ધ વર્ગનો સુર પ્રબળ બનવા પામ્યો છે