લીંબુડા ગામમાં તળાવમાં ન્હાવા ગયેલો 13 વર્ષનો કિશોર ડૂબ્યો

માણાવદર પંથકના લીંબુડા ગામમાં રહેતા પ્રફુલભાઈ મંગાભાઈ રાઠોડે બાંટવા પોલીસમાં જણાવ્યા મુજબ મોહીતભાઈ સુરેશભાઈ રાઠોડ (ઉ.વ.13) ગામના તળાવમાં ન્હાવા ગયો હતો. અને અકસ્માતે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને કારણે પરિવારજનોમાં શોકનુ છવાયું હતું.