ઊંઝાના માધવ બંગલોઝમાં 3.69 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની કરાઇ તસ્કરી


ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી ચોર રૂમમાંથી ચાવી મેળવી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 3.69 લાખની તસ્કરી કરી.
ઊંઝા શહેરના વિસનગર રોડ પર આવેલ માધવ બંગલોઝના મકાન નંબર 36 માં રહેતા રમીલાબેન જયેશકુમાર પટેલનું મકાન 10 દિવસથી બંધ હતું. જે બંધ મકાનના પાછળની બારીના ગ્રીલના લોખંડના સળિયા પહોળા કરી અને ઘરમાં પ્રવેશી પૂજાપાઠના રૂમમાંથી ચાવી મેળવી તિજોરીઓ ખોલી અજાણ્યા ઇસમોએ તીજોરીમાં મુકેલા સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ 3,69,000 ના મુદામાલની ચોરી કરી હતી.
રમીલાબેનના ભાઈ દશરથભાઈ પટેલ બંધ મકાનની અવાર-નવાર દેખરેખ કરતાં હતા. તેમને તસ્કરીની જાણ થતાં ઊંઝા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે દશરથભાઈ હરગોવનદાસ પટેલના નિવેદનના આધારે કોઈ અજાણાયા ઇસમો સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.