નડિયાદમાં ગાયે એક વૃદ્ધાને અડફેટે લેતાં, ઢીંચણમાં 27 ટાંકા આવ્યા

નડિયાદ શહેરમાં રખડતી ગાયો દ્વારા શહેરીજનોને અડફેટે લેવાના કિસ્સા સામે આવી રહ્યા ચ્હે ત્યારે શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલ નુતન આદર્શ સોસાયટીમાં આ પ્રકારની ઘટના બની છે. જેમાં સોસાયટીના વૃદ્ધાને ગાયે અડફેટે લેતા ઢીંચણે ટાંકા લેવાનો વારો આવ્યો. રખડતા ઢોર અંગે  પાલિકા દ્વારા અસરકારક કામગીરી કરવામાં ન આવતા લોકો ભોગ બને છે.

શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ નૂતન સોસાયટીમાં રહેતા મધુબેન પરમાર સાંજે 5:30ના સોસાયટીમાં ઉભા હતા.આ દરમિયાન સોસાયટીમાં રખડતી ગાય દ્વારા એકાએક શીંગડે લઈ ધક્કો મારતા ઇજા પહોચી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસ રહેતા રહીશો દ્વારા બેભાન થયેલા મધુબેનને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેઓને ઢીંચણના ભાગે 27 ટાંકા આવ્યા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં ચાર લોકોને ગાયએ અડફેટે લીવાના કિસ્સા આમે આવ્યા હતા.પાલિકાની રખડતા ઢોરો અંગે બેદરકારીભરી નીતિના લીધે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે પાલિકા તંત્ર રખડતા ઢોરોના પશુપાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ રહીશોએ કરી.