ભુજ જીઆઇડીસીમાં બીમારીથી કંટાળી વૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભુજના જીઆઇડીસી વિસ્તારના સંજયનગરીમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધે બીમારીથી કંટાળીને મોડી રાત્રે પોતાના જ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે. જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રીના અગ્યારથી ત્રણ વાગ્યા દરમિયાન બની હતી.

હતભાગી પિતાને હોસ્પિટલમાં લઇ આવનાર પુત્ર ભોલાસિંઘ સૌભરંગસિંઘ રાજપુત (ઉ.વ.40)એ એમએલસીમાં નોંધ કરાવી હતી કે, તેમના પિતા સૌભરંગસિંઘ રાજપુત (ઉ.વ.70) માનસિક બીમારીથી કંટાળ્યા હતા. રાત્રે જમીને સુઇ ગયા પછી રાત્રીના અગ્યાર વાગ્યા બાદ ઘરમાં લોખંડના થાંભલા પર નાયલોનની રસી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો.

જેમને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવાતા હાજર પરના તબીબે વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના અરસામાં મૃત્યુ થયાનું જાહેર કર્યા હતા. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી.