દરરોજ 5,000 વાહનચાલકો પસાર થાય છે તેવા ગુલાબનગર ઓવરબ્રીજ પર જીવલેણ ખાડા


જામનગરમાં 24 કલાક વાહનોથી ધમધમતા અને દરરોજ 5000 થી વધુ વાહનચાલકો પસાર થાય છે તેવા ગુલાબનગર ઓવરબ્રીજ પર જીવલેણ ખાડાથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આર એન્ડ બી અને રેલવે વિભાગની દેખરેખ હેઠળ બનેલો પુલ 17 વર્ષમાં ખખડધજ બની જતાં કામગીરીની ગુણવતા અને જાળવણી સામે સવાલ ઉઠયા છે. 700 મીટરના ઓવરબ્રીજનો ફકત 3 વર્ષનો ગેરંટી પીરિયડ હતો. ખાડાના કારણે પુલ ગાડા માર્ગ બનતા વાહનમાં નુકસાનની થાય છે.
મસમોટા ખર્ચે શહેરના પ્રવેશદ્વાર પર ઓવરબ્રીજ બનાવામાં આવ્યો હોય 24 કલાક આ પુલ પરથી વાહનોનું આવગમન રહે છે. વળી, રાજકોટ જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. જેના કારણે આ પુલ પર સતત ટ્રાફીક રહે છે. પરંતુ પુલ પર મસમોટા ખાડાના કારણે પુલ ગાડા માર્ગમાં ફેરવાયો છે. જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી બાજુ ખાડાના કારણે પુલ પરથી પસાર થતાં વાહનચાલકો પર અકસ્માતનું જોખમ ઝંળુબી રહ્યું છે.