આણંદના શીલી ગામમાં રસ્તા અંગે ચાર ઇસમે ખેડૂતને મારમાર્યો, દાંતરડાંથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી

copy image

ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં રસ્તે આવવા – જવા બાબતે ઝઘડો થયો. જેમાં ચાર ઇસમે ખેડૂતને મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ વિશે ખંભોળજ પોલીસે ચાર ઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી.

મળતી માહિતી અનુસાર શીલી ગામના રધુપાર ખેતરમાં રહેતા મનુભાઈ પ્રતાપસિંહ ઝાલા ખેતી કામ કરે છે. તેઓને ગામના મોન્ટુ ગોવિંદ પરમાર સાથે 7મી સપ્ટેમ્બરના રોજ રસ્તે આવવા – જવા અંગે બોલાચાલી થઇ હતી. જેમાં મોન્ટુ પરમારે અપશબ્દ બોલી ઝપાઝપી કરી. આ દરમિયાનમાં ગોવિંદ પુનમ પરમાર, ગંગાબહેન ગોવિંદ પરમાર, રશ્મિકાબહેન માના પરમાર દોડી આવ્યાં  અને તેઓએ દાતરડાંથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી. આ ઘટનામાં વચ્ચે પડેલા મનુભાઈના પરિવારજનોને પણ ગડદાપાટુનો મારમાર્યો.

આ અંગે ખંભોળજ પોલીસે મોન્ટુ પરમાર, ગોવિંદ પરમાર, ગંગાબહેન પરમાર અને રશ્મિકાબહેન પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.