નલિયાની શાળામાં 5 છાત્રાને ખોરાકી ઝેરની અસર

copy image

અબડાસાના મુખ્ય મથક નલિયામાં કસ્તુરબા ગાંધી બાલિકા શાળામાં રહીને અભ્યાસ કરતી 5 વિદ્યાર્થિનીને સવારનો નાસ્તો લીધા બાદ ખોરાકી ઝેરની અસર થતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ હતી. બનાવના પગલે તાલુકાનો શિક્ષણ વિભાગ દોડતો થયો હતો અને ઢાંક પિછોડો કરવાના પ્રયાસો કરાયા હતા. સવારે છાત્રાલયમાં નાસ્તો-દૂધ લઇને બાજુમાં જ આવેલી મોડેલ સ્કૂલમાં અભ્યાસ માટે ગયેલી 5 છાત્રાએ ચક્કર આવવા સાથે પેટમાં ગરબડ હોવાની ફરિયાદ કરતાં તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સને બોલાવી નગરના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાઇ હતી.

ફરજ પરના તબીબ ડો. દુરેલાએ જણાવ્યું કે, સવારના 10.30ના અરસામાં પાંચ દીકરીને લાવવામાં આવી હતી. દુષિત ખોરાક, પાણી કે દૂધ પીવાના કારણે અથવા તો તેમણે સવારે નાસ્તમાં લીધેલા દાળિયા કે સિંગદાણાને કારણે ખોરાકી ઝેરની અસર થઈ હોય તેવું બની શકે છે. તમામ વિદ્યાર્થિનીને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમા લઈ જવાયા