કચ્છના નારાયણ સરોવર પાસે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત:એકનું મોત, એક ઇજાગ્રસ્ત

copy image

અબડાસા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર પાસેના ધોરીમાર્ગ પરના કનોજ પાટિયા પાસે આજે બપોરે બાઈક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં અબડાસાના કેરવાંઢથી જામ જખરાપીરના મેળામાં જતા સમયે બાઈક સવાર અકસ્માતનો ભોગ બન્યા. માથા, હાથ અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થયેલ યુવકોને સારવાર માટે લખપતના દયાપર સરકારી દવાખાને 108 એમ્બ્યુલન્સ વડે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 50 વર્ષીય ઉંમર હુસેન કેરનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ થયું હતું. જ્યારે 35 વર્ષીય હુસેન અબ્દુલા કેરને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હોવાનું નયન જોશીએ જણાવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે નારાયણ સરોવરથી એક કિલોમીટર દૂર ધોરીમાર્ગ પરના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પાંધ્રો તરફથી આવતી માંડવી નારાયણ સરોવર રૂટની બસ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો. તેમાં ગંભીર ઈજાઓ થયેલ બન્ને બાઈક સવારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વડે દયાપર પીએચસી મધ્યે ખસેડવામાં આવ્યા. જ્યાં ઉમર કેરનું સારવાર પહેલા જ મૃત્યુ થયાનું જાહેર થયું હતું. જ્યારે હુસેન કેરને વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો. આ સમયે સમાજના લોકો દવાખાને દોડી આવી અને ઘાયલને સારવાર અર્થે ખસેદવા મદદરૂપ બન્યા હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું. નારાયણ સરોવર પોલીસ દ્વારા જાણવા જોગ પરથી આગળની તપાસ હાથ ધરાઈ છે.