જામનગરના ઝાખર ગામ પાસેથી પકડાયેલા 58 લાખના દારૂ મામલાનો નાસતો ફરતો આરોપી પકડાયો

જામનગરના લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી રૂા.58,38,000ની કિંમતની 11,776 નંગ દારૂની બોટલ પોલીસે પકડી પાડી હતી. જે કેસમાં આરોપી નાસતો ફરતો હોય, આ દરમિયાન એલસીબીના વનરાજ મકવાણા, ઘનશ્યામ ડેરવાડિયા તથા કિશોર પરમારને આરોપી જામનગરના સાત રસ્તા સર્કલ પાસે હોવાની બાતમી મળેલ હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ કે.જે.ભોયેના માર્ગદર્શન તળે એલસીબી સ્ટાફ દ્વારા આરોપી લક્ષ્મણ ઉર્ફે લખન ઉર્ફે લખો નારણ સિંઘવ નામના ઈસમને જામનગર સાત રસ્તા સર્કલ પાસેથી પકડી લીધો હતો.

આ કાર્યવાહી એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, કે.એચ. ભોચિયા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર દ્વારા કરાઈ હતી.