અંજારમાંથી શંકાસ્પદ ચોખા-ખાંડના જથ્થા સાથે મહિલાઓ ઉપરાંત 4 સખ્શની અટકાયત

copy image

અંજાર પોલીસે બિલ કે આધાર પુરાવા વિનાના ચોરાઉ હોવાના આશંકાના આધારે છોટાહાથી વડે લઈ જવાતા ચોખા-ખાંડના જથ્થા સાથે મહિલાઓ સહિત 4 સખ્શોને પકડી લીધા હતા. આ વિશે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ અશાબા વે બ્રિજ પાસે વાહન ચેકીંગ કરાઈ રહી હતી ત્યારે એક છોટાહાથી ત્યાંથી પસાર થયો હતો. જેમાં આશંકા પડતા તેને થોભાવી તપાસ કરતા તેમાંથી રૂ. 14,750ના 590 કિલો બોરીમાં પેક ચોખા અને રૂ. 10,500ની કિંમતના 700 કિલો બોરીમાં પેક ખાંડનો જથ્થો મળ્યો હતો.

જેથી આ છોટાહાથીમાં સવાર પંચવાડી, આદિપુરમાં રહેતો ગોવિંદ કાનજીભાઈ ધેડા, અલંકી સોસાયટી, આદિપુરમાં રહેતા કેસરબેન મનજી સિજુ, દેવલબેન મનજી ધુવા અને આદિપુર ઝુંપડા વિસ્તારમાં રહેતો સુરેશ રામજીભાઈ ધેડાની પૂછપરછ કરતા તેમના પાસે મળેલા મુદ્દામાલ અંગેના બિલ કે પુરાવા હતા નહિ. જેથી આ ચોરી કે છળકપટ વડે મેળવેલા હોવાની શંકાના આધારે છોટાહાથી સહિત કુલ રૂ. 1,75,250ના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.