‘ખબર પૂછવા કેમ જાય છે’ કહીને બોટાદના યુવક ઉપર 3 ઇસમોએ હુમલો કર્યો


બોટાદમા રહેતા યુવક ઉપર તેના મિત્રની ખબર કાઢવા તેના ઘરે અને દવાખાને જવા મુદ્દે ત્રણ ઇસમે હુમલો કરતા ફરીયાદ નોંધાવાઈ હતી. બોટાદમાં કન્યા શાળા, અવાડા ગેઈટ પાસે રહેતા હુસેનભાઈ મહમદભાઈ ખંભાતી તા28/9ના રોજ 11 વાગ્યે અવાડા ગેઈટ નજીક સુરેન્દ્રનગર ચા વાળાની લારી પાસે ઉભા હતા ત્યારે કાળા કલરની એક્સેસ ટુવ્હીલર ગાડી લઈ કલકુભાઈ ફકીર અને મુનાફભાઈ અયુબભાઈ માકડ બંને આવ્યા હતા. જેને હુસેનભાઈ ખંભાતી ઓળખતા હતા તેઓ બંને એ હુસેનભાઈને કામ છે તેમ કહી હુસેનભાઈને તેમની ટુ વ્હીલરમાં બેસાડીને સાંળગપુર રોડ સામે પચ્ચીસ વરિયા આવેલા છે જ્યા સાબાભાઈની રૂમ છે ત્યા લઈ ગયા.
ત્યાર પછી સબ્બીર ઉર્ફે સાબો પીરભાઈ નિયતર તેની રૂમમાથી આવી હુસેનભાઈને ગાળો દેવા લગ્યો અને કલકુભાઈ અને મુનાફભાઈ એ હુસેનભાઈને ધોલ ધપાત કરી ઢીકા પાટુનોમાર માર્યો તેમજ ત્રણેયે હુસેનભાઈને કહુ કે તમે શા માટે તોશીફભાઈ ના ઘરે તેની ખબર કાઢવા જાવ છો તમે દવાખાને તોશીફની ખબર કાઢવા ગયા હતા અને તોસીફની પક્ષમા રહીને અમારુ ધ્યાન રાખો છો અને હવે તોસીફના ઘરે ખબર કાઢવા ગયા છો કે તેમની ભેગા રહેશો તો મારી નાખવાની ધમકી આપી હુસેનભાઈને માર મારવામાં આવ્યો હતો.