ઝરીમોરાથી મઢી નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી નહીં છોડતાં ખેડૂતોને હાલાકીનો ભોગ બનવું પડ્યું


બારડોલી તાલુકાના ઝરીમોરાથી મઢી LBMC જતી નહેરમાં પીણી પૂરતા પ્રમાણમાં ન છોડવામાં આવતાં ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પાણી ન હોવાથી બકનરી ન ચાલતાં ખેડૂતો સિંચાઈ કરી શકતા નથી. વર્ષોની સમસ્યા છે જે યોગ્ય કરવાની માગ ઉઠી છે. બારડોલી તાલુકામાં હાલ શેરડીની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત વધુ હોય છે. ત્યારે બારડોલી તાલુકાના ઝરીમોરાથી મઢી જતી LBMC જતી નહેર પર મસાડ, વઢવાણિયા, વાંસકૂઈ. નકસુરા, મઢી બાલ્દા, બોરિયા વગરે ગામના ખેડૂતો નિર્ભર હોય છે.
આ નહેર ખેડૂતોને ઘણી ઉપયોગી સાબિત થાય છે. પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં ન આવતાં ખેડૂતોને પાણીની અછત વર્તાઈ રહી છે. ઓછું પાણી છોડવતા પાણીનું લેવલ નીચે રહેતા બકનરી ચલાવી શકતા નથી. જેથી પાણીની ખેંચી પડી રહી છે. રોપાણ કરેલી શેરડી સૂકાય તેવી પરિસ્થિતિનું પણ સર્જાય તે નકારી શકાય તેમ નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વર્ષોથી છે. આ નહેરથી પાણી નવસારી સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં પાણીનું પ્રમાણ વધી જતાં નદીમાં વહી જાય છે. જેથી આ પાણી પૂરતા પ્રમાણમાં છોડતાં ન હોવાનું જાણવા મળેલ છે.