અમદાવાદમાં પતિએ ચારિત્ર પર શંકા રાખતા કંટાડીને પત્નીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો

પત્નીના ચારિત્ર અંગે શંકા રાખીને પરેશાન કરતા પતિના ત્રાસથી કંટાળી જઈને પત્નીએ ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. આ બાબતે પરિણીતાના પિતાએ વાડજ પોલીસે પતિ સામે દૂષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાવ્યો છે. મધ્યપ્રદેશમાં રહેતા ભુરસિંગ ગાડરિયા(51)ની દીકરી શીતલે નવ મહિના પૂર્વે નવા વાડજ લેબર કોલોનીમાં રહેતા રાકેશ દાવર સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

લગ્ન પછી રાકેશ નાની-નાની બાબતમાં શીતલબેન સાથે ઝઘડા કરી મારકૂટ કરતો ઉપરાંત મોબાઈલથી ઘરે વાત પણ કરવા દેતો ન હતો. 15 દિવસ પૂર્વે શીતલબેને ભાઈ હરભજનને ફોન કરીને કહ્યું હતું કે, મારે ઘરે આવવું છે, પણ રાકેશ ઘરે આવવા નથી દેતો. જે પછી રાકેશ સાથે ઝઘડો થયા પછી શીતલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.