અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર બાઈક સવાર પરિવારનો અકસ્માત

copy image

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી ગતરાત્રીના બાઈક લઈને એક પરિવાર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે આ બાઈક સવાર પરિવારને ટક્કરે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતના કારણે બાઈક સવાર પરિવાર રોડ પર પટકાયો ગયો હતો. જેના લીધે બાઈક પર સવાર પરિવારને શરીરમાં ગંભીર ઇજાઓ થઈ હતી. જોકે અકસ્માત સર્જતા જ ત્યાંથી પસાર થતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતાં. ત્યાર પછી 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવીને ઇજાગ્રસ્ત બાઈક સવાર પરિવારને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપર થયેલા અકસ્માતના કારણે  ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થઈ હતી. જેના લીધે વાહનોની લાઈનો લાગી ગઈ હતી. ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પીલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રાફિકને હટાવી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનચાલકને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.