ભુજમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો


ભુજમાં નવી રાવલવાડી પાસેના માધવનગર- કારીતાસ સોસાયટીના મકાન નંબર સી 758માં મૂળ ઉતરપ્રદેશના પરપ્રાંતીય 39 વર્ષીય યુવક વિકાશકુમાર રવીન્દ્રસિંહ ઠાકોરનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. ગત રાત્રે 12 વાગ્યે તેનો મૃતદેહ મકાન અંદર લટકેલી હાલતમાં અને ઘૂંટણ સુધી જમીન સુધી અટકેલી હાલતમાં નજરે પડ્યો હતો. કોહવાયેલી હાલતમાં મળેલ લાશથી આ ઘટના એકથી વધુ દિવસ અગાઉ બની હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જાણવાજોગ પરથી આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને નીચે ઉતારવા માટે ફાયર ટીમ દ્વારા ફરજ બજાવવામાં આવી હતી.