નાનપુરામાં જૂની અદાવતમાં યુવક પર ચપ્પુથી હુમલો કરાયો

સુરતના નાનપુરા ડક્કા ઓવારા નજીક બાઇકની પાર્કિગ મુદ્દે 2 દિવસ પૂર્વે આકાશ રાઠોડ સાથે ઝઘડો થયો હતો. જે તે સમયે સમાધાન પણ થયું હતું. દશેરાના દિવસે આ ઝઘડાની અદાવતમાં અંકિત વસાવા, નિલેશ વસાવા, બન્ટુ રાઠોડ તહાં વિકાસ નાયકાએ આકાશ રાઠોડને ચપ્પુના 5 ઘા ઝીંકયા હતા. લોહીલુહાણ હાલતમાં આકાશને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અઠવાલાઇન્સ પોલીસે આકાશની માતા મંજુબેન રાઠોડની ફરિયાદના આધારે અંકિત વસાવા, નિલેશ વસાવા, બન્ટુ રાઠોડ અને વિકાસ નાયકા(તમામ રહે,નાનપુરા)ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલમાં બેની અટકાયત કરી લેવાઈ છે.