બાજવામાં પુત્રએ પિતા પર તલવારથી હુમલો કર્યો


શહેરના બાજવા ગામ સ્થિત વડનગર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ દાનાભાઇ રાઠોડ ગઇકાલ બપોરે ઘરે હતા ત્યારે તેમના બે પુત્ર નરેશ અને રોહિત આવ્યા અને પિતાને અપશબ્દો બોલવા લાગ્યા હતા.આ દરમિયાન નરેશ બાજુના મંદિરમાંથી તલવાર લઇ આવ્યો અને પિતા કિશોરભાઇને માથાના ભાગમાં ઘા માર્યો હતો. ઉપરાંત રોહિતે પણ ગડદાપાટુંનો માર માર્યો. આ ઘટનાથી દોડી આવેલા પડોશીઓએ કિશોરભાઇને વધુ મારથી બચાવ્યા અને 108 એમ્બ્યુલન્સ વડે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથાના ભાગમાં 9 ટાંકા આવ્યા હતા. આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.