ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં ફાસ્ટફૂડની દુકાનામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી

copy image

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ભગવતી સર્કલ નજીક કર્ણાવતી ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતા જેથી દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા  તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવાયો હતો.

આ ઘટના અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ નજીક આવેલી કર્ણાવતી ફાસ્ટફૂડ નામની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કઋ લેતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.

ફાયરનો સ્ટાફ તથા પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો. જોકે, આગ લાગવાનું કારણ અને નુકસાની જાણવા નથી મળી.