ભુજના લેક્વ્યૂથી મંગલમ તરફના માર્ગ પર નવનિર્મિત ફૂટપાથ પર લોકોએ વસવાટ શરૂ કરતા લોકો દ્વારા માર્ગ ખુલ્લો કરાવાયની માંગ ઉઠી


લેક્વ્યૂ ત્રણ રસ્તાથી મંગલમ તરફ જતા માર્ગે પર સુધરાઈ દ્વારા લાંબી સમય શક્તિ ખર્ચ કર્યા પછી રૂ. એકાદ કરોડના ખચે માર્ગની બંને બાજુ શહેરીજનોની સુવિધા માટે તથા ફરવા બેસવા માટે ખાસ પ્રકારની ફૂટપાથ તૈયાર કરાઈ છે. પરંતુ હાલ આ સ્થળે ઠેર ઠેર બારાતું અને ભિક્ષાવૃત્તિ કરતા સાધુ મહાત્માઓ પડ્યા પાથર્યા રહેતા હોય છે. તેથી તંત્રનો શહેરની સુખાકારીનો ઉદ્દેશ અહીં નિષ્ફળ જતો નજરે પડી રહ્યો છે. લોકો માટે અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આ માર્ગ ખુલ્લો કરાવાય એવી શહેરીજનીમાં માગ ઉઠવા પામી છે.
ભૂજ શહેરના લેક્વ્યૂ ત્રણ રસ્તાથી મંગલમ તરફના માર્ગ રસ્તાની બંને બાજુ સુશોભિત ઘટાદાર વૃક્ષો શહેરની શોભામાં વધારો કરે છે. જ્યાં નગરપાલિકા દ્વારા શહેરીજનોના પગપાળા આવાગમન અને હરવા ફરવા માટે છેલ્લા આઠ મહિના દરમિયાન ખાસ પ્રકારની ફૂટપાથ તૈયાર કરવામાં આવી છે. પરંતુ અહીં શ્રમજીવી, રમતારામ સાધુ બાવાઓ અને નસેડીઓ ધામા નાખીને પડ્યા પાથર્યા રહેતા હોય છે. જ્યાંથી લોકો પહેલા સરળતાથી પસાર થઈ જતા હતા ત્યાં હવે અજાણ્યા લોકોની પેસકદમીથી અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાકીદે આ પ્રશ્નનો નિરાકરણ લવાય એવી લોકો દ્વારા માગ કરાઈ રહી છે.