આદિપુરમાં બીમારીથી કંટાડી પ્રૌઢે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ સંકુલમાં આપઘાતની ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે દાખલ થઈ છે જેમાં આદિપુરના ડીસી-5 વિસ્તારમાં બિમારીથી કંટાળેલા પ્રૌઢે ગળે ફાંસો ખાઇ લઇ જીવનનો ટૂંકાવ્યું કાસેઝના એફસીઆઇ ગોદામમાં ઝેરી જંતુ કરડવાના કારણે વૃધ્ધે જીવ ગુમાવ્યો તો પડાણા ફાયર સ્ટેશન સામેથી અજ્ઞાત પ્રૌઢની લાશ મળી હોવાની ઘટના સામે આવી છે. એક જ દિવસમાં શહેરના અલગ અલગ સ્થળોએથી ત્રણ આપઘાતની ઘટનાઓ સામે આવતા સબંધિત વર્તુળોમાં આઘાતની લાગણી છવાઈ હતી.

આદિપુરના ડીસી-5 વિસ્તારમાં રહેતા 50 વર્ષીય હસમુખભાઇ છગનલાલ ઠક્કરે ગત સવારે 7 વાગ્યા પૂર્વે કોઇપણ સમયે ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભર્યું હતું. મૃતદેહ લઇ આવનાર રાજેશ દિલીપભાઇ ઠક્કરે રામબાગ હોસ્પિટલના તબીબને મૃતકે બીમારીથી કંટાળીને આ પગલું ભરી લીધું હોવાનું જણાવતાં આ અંગે આદિપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.

કાસેઝના એફસીઆઇ ગોદામમાં જ રહેતા મુળ ઓડિસાના 62 વર્ષીય લક્ષ્મીધર પાણનાથ સાહુ ગત સવારે 11 વાગ્યાના આસપાસ કામ કરતા હતા તે સમય દરમીયાન ઝેરી જંતુ કરડી જતાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તેમણે દમ તોડ્યો હતો. બી-ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પડાણા નજીક ફાયર સ્ટેશન સામેના સર્વીસ રોડ પરથી ગત સાંજે અજ્ઞાત 50 થી 55 વર્ષીય લાગતા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ લઇ આવનાર દેવજીભાઇ ઉર્ફે મંગાભાઇ રામજીભાઇએ ડોક્ટરને જણાવતાં આ અંગે બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.