જુમ્માપીર ફાટક નજીક ટ્રેનની અડફેટે આવી જતાં અજાણ્યા યુવાનનું મોત

આદિપુરમાં માલગાડીની અડફેટે આવી જતાં] યુવાનનું મોત થયું હોવાની ઘટના બની હતી. યુવાનના પોકેટમાંથી તમાકુ સિવાય કોઇ અન્ય વસ્તુ ન મળાતા ઓળખ હજી સુધી ન થતા કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામા આવ્યો હતો. આદિપુરમાં આવેલા જુમ્માપીર ફાટક પાસેથી સવારના પોણા આઠ વાગ્યે પસાર થતી માલગાડીના ચાલકે સ્ટેશન માસ્ટરને કાંઈક ટક્કરે આવી ગયા હોવાની જાણ કરાઈ હતી.

જે આધારે યુવાન આવ્યો હોવાનું બહાર આવતા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ રામબાગ હોસ્પિટલ લઈ જતા યુવાને માથામાં કાન પાસે ગંભીર ઈજા પહોચી હોવાથી દમ તોડી દીધો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે યુવાન પાસેથી કોઇ ઓળખ થઈ શકે એવો સામાન જેમ કે મોબાઈલ, કે પાકિટ, ઓળખકાર્ડ જેવી સામગ્રી મળી નથી, કે તેના શરીર પર કોઇ એવા નિશાન નથી કે જે આધારે અંદાજો લગાવી શકાય.

માત્ર કાનમાં બાલી તેનું રાજસ્થાની બેકગ્રાઉન્ડ હોવાનો અંદાજો આપે છે પણ તે પણ સાબીતી નથી. આ સ્થિતિમાં તેના ફોટાઓ અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવ્યા છે, આસપાસના જ વિસ્તારનો રહેવાસી હોવાનું સંભવ છે. બે ત્રણ દિવસ સુધી ઓળખ થવા માટે રામબાગ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ રાખવામા આવ્યો છે. આદિપુર પીએસઆઈ એચ.એસ. તિવારીએ અંદાજે 30 વર્ષનો યુવાન હોવાનું જણાવીને દરેકને ઓળખ થાય તો અવગત કરવા જણાવ્યું હતું.