વાણીયાવાડ, છઠ્ઠીબારી, અનમરિંગ રોડ પર રીક્ષા અને કારને પ્રતિબંધ


આગામી દિવાળીના તહેવારોમાં ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ, વિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા નથી વાહનો આડેધડ પાર્ક થતા હોવાથી ટ્રાફિકની સમસ્યા ખુબ જ વધી જાય છે.
આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષની તા.13-10 વાળી દરખારસ્ત અન્વયે અધિક જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું ફ૨માવવામા આવ્યું છે. જે જાહેરનામાં પ્રમાણે તા.16-10 થી 25-10 સુધી સવારના 8 થી રાત્રીના 10 સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડ, અનમ રીંગરોડ અને વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતા રસ્તા પર પસાર થઈ શકશે નહીં. આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનો, ફાયર ફાઈટર તેમજ પોલિસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ, ભુજ અધિકૃત કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં.