બિમારીથી કંટાળીને વૃદ્ધે રસોડામાં ગેસ ચાલુ કરી અગ્નિસ્નાન કર્યું


રાજકોટના મવડી વિસ્તારમાં પંચશીલ સોસાયટી-7 માં રહેતાં વશરામભાઇ દેશાભાઇ વાઘેલા (ઉ.વ.75) નામના વૃદ્ધ ઘરે સળગી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 108 ના ઇએમટીએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના PSI આર.જે.ચારણ અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આપઘાત કરનારને એક પુત્ર છે જે ખાનગી નોકરી કરે છે. સાંજે વશરામભાઇના પત્નિ ઘરની ડેલીએ હતાં ત્યારે તેમણે રૂમમાંથી માંડ માંડ રસોડામાં પહોંચી ગેસ ચાલુ કરી ઓશીકુ સળગાવી તેનાથી અગ્નિસ્નાન કરી લીધું હતું. જો કે બિમારીથી કંટાળીને વૃધ્ધે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું.