ખમીદાણાના તલાટી મંત્રીને ફોન કરી, મારી નાંખવાની ધમકી અપાતા ફરિયાદ નોંધાઈ


કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં તલાટી મંત્રીને કોઈ કારણસર ગાળો આપી ધમકી મળતાં મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે એક ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ વિશેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર ,કેશોદ પંથકના બામણાસા ગામમાં રહેતાં કાન ભાઈ વકમાતભાઈ સોલંકીએ દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર, દેવદાન કારાભાઈ પરમાર રહે ખમીદાણા વાળાએ કાનભાઈને ફોન કરી કોઈ કારણસર ગાળો આપી હતી
ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી તથા ખમીદાણા ગામના માજી ઉપસરપંચ ભરતભાઈ કાન ભાઈ બારીયા અને કમ્પ્યુટર ઓપરેટર ભાવેશભાઈ નારણભાઈ પરમારને ફોન કરી કાન ભાઈને ગાળો આપી અને મારી નાંખવાની ધમકી આપી ખમીદાણા પંચાયત ઓફિસ જઈ દરવાજો તોડી નુકસાન પહોચાડ્યું હતું.પોલીસે આ ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.