વઢવાણના ખેરાડી ગામમાં મહિલા પર ધારીયા વડે કરાયો જીવલેણ હુમલો:મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં મહિલા પર ધારીયા વડે જીવલેણ હુમલાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં મહિલાને લોહિલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યારે આ ઘટના અંગે જોરાવરનગર પોલિસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામ મધ્યે બાજુમાં રહેતા અને અવારનવાર સામાન્ય વાતને લઈને બોલાચાલી થતા મહિલા ઉપર ધારીયા વડે હુમલો કરી અને ઘાયલ કરાયા છે.આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની હોસ્પિટલ મધ્યે ખસેડાયા છે. ત્યારે ઘટનાસ્થળે પોલીસ દોડી જઈ અને ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે. જાણવા મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ખેરાડી ગામ મધ્યે રહેતા પૂનમબેન હસમુખભાઈ નામની મહિલાને જયેશ લખમણ રોજાસરા નામના વ્યક્તિએ ધારીયા વડે હુમલો કરી અને ઇજા પહોંચાડતા તાત્કાલિકપળે તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સાર્વજનિક હોસ્પિટલ મધ્યે ખસેડાયા છે. ત્યારે આ બંને આજુબાજુમાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે.