કાલાવડ રોડ પર બંધ ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડ સહિત રૂ.5.77 લાખની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

કાલાવડ રોડ પર રવિ પાર્કમાં રહેતા રવિભાઇ હસમુખભાઇ ભાલાણીના મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.5.77 લાખની ચોરી થયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ વિશે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, આ મકાનમાં છેલ્લા સાતેક મહિનાથી રહીએ છીએ અને મારા માતા કુંદનબેન અમારાથી અલગ ઢેબર કોલોનીમાં રહે છે. આથી બપોરના હું અને મારી પત્ની અને દીકરો મારા માતાના ઘરે દિવાળીનું કામકાજ હોવાથી ગયા હતા.

પાછા ઘરે આવતા તપાસ કરતા મારા આ કબાટમાં રોકડા રૂ.7,000 તથા 13 તોલા સોનાના દાગીના તીજોરીમાં જોવા મળ્યા હતા નહિ. આથી અમારા મકાનમાંથી કુલ રૂ.5.77 લાખની તસ્કરી થઈ જતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ બાબતે ક્રાઈમ બ્રાન્ચ તથા યુનિવર્સિટી પોલીસના PI એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.