અંકલેશ્વરના 5 ગામમાંથી ચોર 12 ટ્રાન્સફોર્મરની ચોરી કરી ફરાર


અંકલેશ્વરમાં 5 ગામમાં ચાર માસમાં 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર કોપર તસ્કરોએ તોડી પાડ્યા હતા. કોપર તસ્કર એ ખેતી વિષયક ચાલુ વીજ લાઈન પર થી ટ્રાન્સફોર્મર તોડી પાડી વીજ નિગમ ને અને ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્ટડ તોડી તથા ઓઇલ ઢોળી 71 હજાર નું નુકસાન કર્યું છે. જ્યારે 2.40 લાખ નું કોપર કાઢી તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા.
અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા, જૂના બોરભાઠા બેટ, જૂની સુરવાડી, જુના દીવા તથા બોઈદરા મધ્યે વિવિધ ખેતરમાંથી પસાર થતી ખેતી વિષયક વીજ લાઇન પર દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા વીજ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા હતા. જે વીજ ટ્રાન્સફોર્મર ને ચાલુ લાઇન પર થી 16 જૂન થી 19 મી ઓક્ટોબર દરમિયાન ચાલુ લાઇન પર થી તોડી પાડવામાં આવ્યા હતા અને અંદર રહેલા સ્ટડ તોડી પાડ્યું અને ઓઇલ ઢોળી નાખ્યું હતું.