આમરીમાં ચક્કર આવતા તળાવમાં પડી ગયેલા યુવાકનું ડૂબી જવાથી મોત

નવસારીમાં આમરી ગામમાં રહેતા યુવાન તળાવ પાસે બેઠા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતાં તળાવમાં પડી ગયો હતો. તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજયું હતું. નવસારી તાલુકામાં આવેલ કૈલાસ સુમન ભાઈ રાઠોડે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે સુમનભાઈ નવીનભાઈ રાઠોડ (ઉ.વ. 42) આમરી ગામના તળાવ પાસે ગયા હતા.જ્યાં અચાનક ચક્કર આવી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને પાણીમાંથી કાઢી હોસ્પિટલમાં લઈ જવાતા હોસ્પિટલના તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો. આ બનાવની વધુ તપાસ અહેકો જયેશભાઈ વશરામભાઈ ચલાવી રહ્યાં છે.