પાણી ચારાની પર્યાપ્ત સુવિધા માટે સરકારનું સુચારૂ આયોજન

કચ્છની એક દિવસીય મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રવાસ દરમિયાન માધાપર સ્થિત ગૌશાળાની મુલાકાત લીધી હતી. અછતની સમીક્ષા અર્થે ભુજ આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માધાપર ગૌશાળાની મુલાકાત લેતા જણાવ્યુ હતું કે,પ્રવર્તમાન પરિસ્થિતીને જોતાં રાજય સરકાર દ્વારા અછત કચ્છ જિલ્લાને ત્વરિત અછતગ્રસ્ત જાહેર કરી,સત્વરે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.