મીઠીરોહરમાં તસ્કરોએ 4 ટ્રકની તાલપત્રી ચીરી ચોખાની કરી ચોરી

copy image

ગાંધીધામ મીઠીરોહરમાં તસ્કરોએ ચાર ટ્રકની તાલપત્રી તોળી 1,89,750 ની ચોખાની ચોરીને અંજામ આપ્યો છે. નિરવેલસિંગ કશ્મીરસિંગ ડીલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 8-12ના સવારના સાતેક વાગ્યાના અરસામાં એચ.આર.62-એ-1133ના ટ્રકમાથી તાલ પત્રી કાપી 19 બોરીઓ ચોરાઇ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તો અગાઉ પણ 27-11ના GJ-12-BY-5283ના ટ્રકમાથી 11 બોરીઓ ચોખાની ચોરાઇ ગઈ હતી.26-11 ના રોજ સવારના છ થી સાત વાગ્યના અરસામાં આર.જે.08-જીઆઇ.બી-0265 ટ્રકમાથી પણ 26 બોરીઓની ચોરીને અંજામ અપાયો હતો. આમ અજાણ્યા ઇસમો અલગ અલગ 4 ટ્રકમાથી 69 બોરીઓની કિમત.રૂ. 1,89,750ની તસ્કરી આચરી હોવાનું ફરિયામાં નોંધાવાયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.